Monday, July 27, 2009



આ વરસાદ એ ખરેખર તો પાણીના બિંદુ નથી પણ કેટલીય આશાઓ,
આસ્થાઓ અને શ્રદ્ધાની ભક્તિનો પરસાદ છે. એનો લહાવો લેવું
એ સૌના નસીબમાં નથી હોતું,

એટલે તો હિતેન આનંદપરા કહે છે કે,
કામ પર જાવાનું મન થાતું નથી તો નહીં જઉં,
બહુ જ થોડા જણને આવું પરવડે વરસાદમાં

અમુક વ્યક્તિઓને પ્રકૃતિ સાથે જાણે સંબંધ જ ન હોય એમ લાગે.
હજી વરસાદની શરૂઆત થઈ ના હોય ત્યાં રેઈનકોટ, છત્રી તૈયાર જ રાખે. રખેને આજે જ દેવા માંડે તો...
કેટલાકને તો વળી વરસાદમાં પાણીથી, ભીંજાવાથી, બહાર નીકળવાનું મન ન થાય આવી ઘણા બધા પ્રકારની એલર્જી હોય છે. પણ મિત્રો આવી બધી જ એલર્જીના આવરણરૂપી રેઈનકોટને એકવાર ફગાવી દો અને મુક્ત ગગનના પંખી કે પેલા બાળપણમાં ચડ્ડીભેર ન્હાતા હતા એવા બાળકને યાદ કરી ભીંજાજો......
અને હળવેથી તમારા દિલને પૂછજો, `અબ કૈસા Feel હો રહા હૈ ?

'મને ખાતરી છે કે જવાબ કાંઈક આવો જ મળશે...
I really feel better.


વિજય રોહિત,
મો : 0990 950 2536

No comments:

Post a Comment