Monday, July 20, 2009

વહુ ને વરસાદ કેમ વગોવાય છે ?

શહેરમાં વરસાદે કેવો ત્રાસ ફેલાય છે,
જ્યાં જુઓ ત્યાં ગંદકી ને ગટરો ઊભરાય છે

રસ્તાઓ ટૂટી જાય ને પડે છે ગાબડાં,
ગાડીમાં દોડનારા ધક્કા મારીને જાય છે.

કશું નક્કી નથી હોતું ક્યારે વરસશે એ,
તોયે છૂટવાના સમયે નક્કી દેખાય છે.

ભલે વરસે એ મૂશળધાર ને લાવે એ પૂર,
તોયે ભજિયાં તો વરસાદે જ ખવાય છે.

જરૂર હોય એટલો વરસે તો બધાને ગમે,
નહીં તો ચેનલે અને છાપે ચડાવાય છે.

સંસારચક્ર ચલાવવા જરૂરી છે એનું આગમન,
તોય વહુ ને વરસાદ કેમ વગોવાય છે ?

- વિજય રોહિત, મો : 990 950 2536

No comments:

Post a Comment