Monday, July 20, 2009

લજામણી શું શરમાય છે.



વિચારોના વાદળા બંધાય છે,
ત્યારે શબ્દરૂપી ગઝલ રચાય છે.

રદીફને ક્યાં વાંધો હોય છે,
કાફિયા ગમે તેટલા બદલાય છે.

સંસારમાં બધા સંબંધો સમજાય છે,
તો'યે માણસજાત ક્યાં ઓળખાય છે.

મક્કમ મનના માનવીની પણ,
દુ:ખમાં જ કસોટી થાય છે.

અમારા સ્પર્શની નજાકત તો જુઓ,
હાથ લગાડું ત્યાં લજામણી શું શરમાય છે.

વાત નીકળી છે તો દૂર સુધી જશે,
આખરે વિચારોનો જ `વિજય' થાય છે.

- વિજય રોહિત, મો : 990 950 2536

No comments:

Post a Comment